શ્રી રાજવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં ગીર-સોમનાથની ભાજપ પ્રાંસલી જિલ્લા પંચાયતમાં ૧૪ ગામોને આવરી લેવામાં આવ્યા હતા જ્યાં તેઓ તેમના મતવિસ્તાર, ગીર-સોમનાથ(ગુજરાત) માંથી રેકોર્ડ માર્જિનથી જીત્યા હતા; હાલ તે ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે. પેઢીઓથી લોકોની સેવા માટે સમર્પિત પરિવારમાંથી આવતા, સરકારી સેવા અને સામાજિક કાર્યો તરફ તેમનો ઝુકાવ વારસામાં મળેલ છે.
પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ રાજવીરસિંહના દાદા સ્વ. વજેસિંહ ખીમાભાઇ ઝાલા ઘંટીયા પ્રાચીમાં પ્રથમ ગ્રામ પંચાયત પ્રમુખ (સરપંચ) હતા. તેમણે ૪૫ વર્ષ સરપંચ તરીકે સેવા આપી હતી અને તેઓ આ વિસ્તારમાં સ્થાનિક રાજનીતિ અને લોકસેવાને લીધે ખૂબ જ લોકપ્રિય હતા. તેમના પગલે ચાલતા રાજવીરસિંહ પણ જિલ્લાના વિશ્વાસુ યુવા ચહેરો છે. તેમના પિતા એક શાળા શિક્ષક હતા જ્યાંથી તેમણે પ્રારંભિક જ્ઞાન મેળવ્યું હતું અને તેમના પરિવારજનો હાલ પણ સરકારમાં સેવા આપે છે.
ગીર-સોમનાથના લોકો માટેના તેમના સરાહનીય પ્રયાસોથી તેઓ આ વિસ્તારની જનતા માટે સતત પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. રાજવીરસિંહને વિજ્ઞાનમાં ઊંડો રસ છે તેથી જ તેઓ ભૌતિકશાસ્ત્રમાં વિશેષતા સાથે વિજ્ઞાનમાં M.Sc. પૂર્ણ કરેલ છે. વધુમાં, તેમણે શિક્ષણમાં અનુ સ્નાતક B.Ed. ની ડિગ્રી પણ મેળવી. એક સારી લાયકાત ધરાવતા યુવા નેતા તરીકે તે ગામડાના લોકો અને તેના ઉભરતા યુવાનોની જરૂરિયાતોને યોગ્ય રીતે સંબોધવા માટેના જ્ઞાન અને એક્સપોઝરથી સારી રીતે સજ્જ છે. તેઓ બીજેપી પાર્ટી (BJP) ની વિચારધારાઓ અને પહેલ પર સખત વિશ્વાસ રાખે છે.
રાજવીરસિંહ ગ્રામીણ લોકોમાં પાર્ટીની પહેલને વધુ મજબૂત બનાવવા માટે રૂટ-લેવલનું કામ કરે છે. તે તેઓના વિસ્તારના વિકાસ તેમજ પાર્ટીની વિચારધારા ના સમર્થનમાં મોખરે હોઈ છે અને તેથી જ તે હવે લોકો ના નાના કે મોટા કોઈપણ મુદ્દા ના નિરાકરણ માટે આગળ રહેનાર વ્યક્તિ છે. એક યુવાન નેતા હોવાને કારણે, તે યુવાનોને રાજકારણનો ભાગ બનવા અને લોકોના ભલા અને કલ્યાણ માટે ફેરફારો કરવા પ્રોત્સાહિત કરે છે.
શ્રી રાજવીરસિંહ ઝાલા ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક મુદ્દા ના નિરાકરણ માટે સતત પાયાના સ્તરે કામ કરતા રહે છે.
7 માર્ચ 2024
ખેલ મહાકુંભ 2.0 સૌરાષ્ટ્ર ઝોન કક્ષા અં. 17, ઓપન વયજૂથ, 40 વર્ષ ઉપર અને 60 વર્ષ ઉપર રસ્સાખેંચ (ભાઈઓ/બહેનો) સ્પર્ધા.
2 માર્ચ 2024
જૂનાગઢ જિલ્લા શહેર/ગ્રામ્ય, ગીર સોમનાથ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.
26 ફેબ્રુઆરી 2024
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો
11 જુલાઈ 2022
ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલ માટે ગામડાઓના સરપંચો ને સાથે રાખી જરૂરી કામગીરીનું અવલોકન કર્યું.
05 જુલાઈ 2022
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થયો, જે અંતર્ગત સુશાસન ના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી.
23 જૂન 2022
સુત્રાપાડા તાલુકાના પ્રાસલી, ગાંગેથા રંગપુર અને ભૂવાવડા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.
01 જૂન 2022
સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે રાખી વરસાદી પાણીના નિકાલ માટે પુલ અને કેનાલ ના સર્વે નું કામ હાથ ધર્યું.
21 ફેબ્રુઆરી 2024
ગીરસોમનાથ જિલ્લાના તાલાલા ખાતે અખિલ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રી શ્રીબાઈ માતાજીના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ માનનીય મુખ્યમંત્રીશ્રી @bhupendrapbjp જીનું સ્વાગત કર્યુ.
શ્રી શ્રીબાઈ માતાજીના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
10 ફેબ્રુઆરી 2024
દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી ના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
31 ડિસેમ્બર 2023
" સેવા સેતુ કાર્યક્રમ " ના ૯માં તબ્બકામાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઇ વાઢેર, મામલતદાર સુત્રાપાડા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ , જિલ્લા પંચાયત સદસ્ય જાદવભાઈ, અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
સેવા સેતુ કાર્યક્રમ
14 ઓગસ્ટ 2022
આઝાદી ના અમૃત મહોત્સવ ને અનુલક્ષીને હર ધર તિરંગા યાત્રાનુ પ્રાસલી જિલ્લા પંચાયત અંતર્ગત આવતા ગામડાઓમાં ભાજપ પરિવાર દ્વારા આજ રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવા માં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ,સુત્રાપાડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ જશુભાઇ વાઢેર, તેમજ બોહળી સંખ્યા માં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
હર ધર તિરંગા યાત્રા
12 જૂન 2022
અલ્પકાલીન વિસ્તારક તરીકે ગીર સોમનાથ જીલ્લાના ગઢડા તાલુકાના નાના એવા સોનારીયા ગામમા જવાનુ થયુ, જ્યાં જન્મથી જ અંધ અને નિરીક્ષર એવા 60 વર્ષના પોલાભાઈ વકાતર ને મળવાનું થયુ, જેમને ગામલોકો પોલા ભગતના નામથી પણ ઓળખે છે , ભારતીય રાજનીતિ, ભારતી જનતા પાર્ટી, હિન્દુત્વ,અને નરેન્દ્ર મોદીજી વિષેના એમના સ્પષ્ટ અને તર્કબદ્ધ વિચારો જાણીને મારા વિચારો વધુ દ્રઢ બન્યા, આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ પ્રત્યે લોકોનો અતૂટ વિશ્વાસ છે જે દેશના લાખો કાર્યકરોને પ્રેરણા આપે છે.
અલ્પકાલીન વિસ્તારક યોજના
26 મે 2022
સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ આંગણવાડી કેન્દ્રની ખાલી પડેલ જગ્યાઓ પર માનદસેવા માટે પસંદ થયેલ 119 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવા માટેના કાર્યક્રમનું રામ મંદિર ઓડિટોરિયમ હોલ , સોમનાથ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે ની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં બાયો ડાયવર્સીટી સમિતિના ચેરમેન રાજવીરસિંહ ઝાલા અને આંગણવાડી કેન્દ્રો ના લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા.
આંગણવાડી કેન્દ્રની ખાલી પડેલ જગ્યાઓ પર પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત.
22 મે 2022
તાલાલા તાલુકાના ઘૂંસીયા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નાથાભાઈ વાજાં, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભભાઈ પટાટ,મહેંદ્રભાઈ પિઠીયા તથા આગેવાનો હાજર રહ્યા હતા.
ઘૂંસીયા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
02 એપ્રિલ 2022
સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી સંત શ્રી હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
પ્રશ્નનાવડા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ
06 ઓગસ્ટ 2022
સમગ્ર ગુજરાતમાં અંગદાન વિશે જાગૃતિ ફેલાવનાર શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા) આજે વેરાવળ ખાતે અંગદાન જાગૃતિના ના કાર્યક્રમ માં હાજર રહી માર્ગદર્શન આપ્યું.
વેરાવળ ખાતે અંગદાન જાગૃતિના ના કાર્યક્રમ
29 મે 2022
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો મન કી બાત કાર્યક્રમ અને સુત્રાપાડા મંડળના ઘંટીયા અને પ્રાસલી શક્તિ કેન્દ્રની ટિફિન બેઠક મળી જેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી રાજવીરસિંહ ઝાલા,સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભગવાનભાઈ બારડ,સુત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી ધરમેન્દ્રસિંહ ,બચુભાઇ મેર , સરપંચો અને સંગઠન ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો મન કી બાત કાર્યક્રમ
21 જુલાઈ 2022
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત પ્રાંસલી જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામોમાં રથનું આયોજન પ્રાંચી (તીર્થ) અને પ્રાસલી ગામમાં કરવામાં આવેલ હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા સર, જિલ્લા પંચાયત સદસ્ય અને બાયોડાયવર્સીટી સમિતિ ના ચેરમેન રાજવીરસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ,તથા આજુબાજુ ગામના સરપંચો,આગેવાનો અને અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અર્પણ કરવાની સાથે જ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં.
વંદે ગુજરાત વિકાસ યાત્રા
04 ફેબ્રુઆરી 2022
સુત્રાપાડા તાલુકાના ભુવાટીંબી ગામના વતની શ્રી રણજીતસિંહ નાથાભાઈ બારડ માં ભારતની સેવા ( BSF ) માંથી નિવૃત થયા વતન પધાર્યા, તેમના ભવ્ય સ્વાગત માટે પ્રાચી કારડીયા રાજપુત સમાજની વાડીથી ભૂવાટીંબી ગામ સુધી ભવ્યતિભવ્ય સ્વાગત રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું.
શ્રી રણજીતસિંહ નાથાભાઈ બારડ નું ભવ્ય સ્વાગત
05 એપ્રિલ 2022
વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય સભ્ય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કુવરજી બાવળીયા, જિલ્લા પ્રભારી શ્રી રઘુભાઈ હુંબલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારડ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબેન બચુભાઈ વાજા તથા મંડળોના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અને જિલ્લાભરમાંથી આવેલા સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય સભ્ય સંમેલન નું આયોજન
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજવીર સિંહ ઝાલા ના મૂળ ગામ ઘંટીયા પ્રાચી માં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી નો 42 મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે ઘંટીયા પ્રાચીની ગામના આગેવાનો તેમજ ખાંભા ગામના સરપંચ શ્રી સંજયભાઈ ડોડીયા અને પ્રાંસલી ગામ ના સરપંચ અક્ષરભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના 42 સ્થાપના દિવસે નિમિત રાષ્ટ્રીય સેવા માં સમર્પિત કરોડો દેવદુર્લભ કાર્યકર્તાઓને હદયપૂર્વક શુભકામનાઓ. આજના દિવસે ભારતીય જનતા પાર્ટી વિશ્વ ગુરુ બને તેમ સંકલ્પ કરીએ.
ભારતીય જનતા પાર્ટી નો 42 મો સ્થાપના દિવસ
18 એપ્રિલ 2022
સુત્રાપાડા તાલુકા આરોગ્ય કચેરી ખાતે આયુષ્માન ભારત બ્લોક આરોગ્ય મેળાની શરૂઆત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, રાજવીરસિંહ ઝાલા, રામભાઈ ચૌહાણ, DHO અરુણ રોય, આરોગ્ય અધિકારીગણ તેમજ લાભાર્થીઓ
સુત્રાપાડા તાલુકા આરોગ્ય કચેરી ખાતે આયુષ્માન ભારત બ્લોક આરોગ્ય મેળાની શરૂઆત
20 ફેબ્રુઆરી 2022
ગિરસોમનાથ જિલ્લા ના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામના લોકો દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું, જેમાં રેકોર્ડ બ્રેક 761 બ્લડ યુનિટ એકઠુ થયુ હતું.
કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામના લોકો દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન
25 જૂન 2022
શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે 100% નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સભર શિક્ષણની સાથે સાથે કન્યા કેળવણીને પણ વેગ મળે તે હેતુને લક્ષમાં રાખી બાળક શાળામાં આવવા માટે તત્પર બને તે માટે “કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ - 2022"નું આયોજન સુત્રાપાડા તાલુકાના પ્રાસલી, ગાંગેથા રંગપુર અને ભૂવાવડા ગામે પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ ગીર સોમનાથ જિલ્લા પંચાયત સભ્ય અને બાયો ડાયવર્સીટી ના ચેરમેન રાજવીરસિંહ ઝાલા હાજર રહ્યા હતા.
“કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ - 2022"
06 એપ્રિલ 2022
ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી - ગીર સોમનાથ કિસાન મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં 'નમો કિસાન પંચાયત' કાર્યક્રમ યોજાયો.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં 'નમો કિસાન પંચાયત'
02 ઓગસ્ટ 2021
ગુજરાત સરકારના "જળ જીવન મિશન" અને "नल से जल " યોજના અંતર્ગત સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામે 25 લાખના કામો નું ખાતમુહૂર્ત કર્યુ.
"જળ જીવન મિશન" અને "नल से जल " યોજના
11 નવેમ્બર 2021
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર રથનું સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે સ્વાગત કરવામા આવ્યુ, સરકારની દરેક યોજનાઓ ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચે તે માટેનો ગુજરાત સરકારનો સરાહનીય પ્રયાસ.
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર રથનું ઘંટીયા ગામે સ્વાગત
30 મે 2021
ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતીમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતીમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ
Facebook
Twitter
Youtube
શ્રી રાજવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં ગીર-સોમનાથની ભાજપ પ્રાંસલી જિલ્લા પંચાયતમાં ૧૪ ગામો ઘંટિયા-પ્રાંચી, ખાંભા, ટોબરા, વાસાવડ, ખેરા, ભૂવાટીંબી, ગાંગેથા, ભુવાવાડા, પ્રાંસલી, ટીંબડી, આલિંદ્રા, રંગપૂર, પીપળવા, મોહબતપરા ને આવરી લેવામાં આવ્યા હતા જ્યાં તેઓ તેમના મતવિસ્તારમાં રેકોર્ડ માર્જિનથી જીત્યા હતા.
Rajveersinh Zala is the most dynamic and active youth poitician of recent times in my constituency. He is working hard, day and night to make his constituency a better place to live in. Best think that Rajveersinh is being active in social media. It helps him to be active and be in regular touch with fellow citizen.
Member of Parliament from Junagadh-Gir Somnath
Vice President Of District Panchayat - Gir Somnath